RMC Retired Recruitment 2024 : રાજકોટ મહાનગરપાલિકા વોક ઈન ઈન્ટરવ્યુ
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે નીચેની વિગતે ધી જી.પી.એમ.સી.એક્ટ-૧૯૪૯ ની કલમ ૫૩(૩) હેઠળ તદ્દન હંગામી ધોરણે ૦૬(છ) માસના કરાર આધારિત જગ્યાઓભરવા માટે વોક ઇન ઈન્ટરવ્યુ તા.૦૬/૦૩/૨૦૨૪, બુધવારના રોજ બપોરે ૦૩:૦૦ થી ૪:૦૦ કલાક સુધી ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે જેથી સબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા જાણ કરવામાં આવે છે.
JOB OVERVIEW :
ઓર્ગેનાઇઝેશન
જગ્યા
કરાર
સ્થળ
Rajkot Municipal Corporation
પર્યાવરણ અધિકારી (કરાર આધારિત) અને નાયબ પર્યાવરણ અધિકારી (કરાર આધારિત)
ગુજરાત એડમિનિસ્ટ્રેશન સર્વિસ (GAS) કેડરમાં સરકારશ્રી માંથી નિવૃત્ત અધિકારી
૨- નાયબ પર્યાવરણ અધિકારી (કરાર આધારિત)
03
ચીફ ઓફિસર તરીકે નગરપાલિકામાંથી નિવૃત્ત.
RMC Retired Recruitment 2024
Age Limit And Other Information :
ક્રમ
વિવરણ
વયમર્યાદા
૬૨ વર્ષથી વધુ નહિ
એકત્રિત વેતન
નિવૃતિ સમયના સાતમાં પગારપંચના બેઝીક પગારના ૩૫% મુજબ માસિક એકત્રિત વેતન તેમજ પેન્શન ઉપર TI મળવાપાત્ર થશે.
Necessary Instructions And How To Apply :
ક્રમ
અન્ય વિગતો:-
1)
ઉમેદવારે વોક ઇન ઈન્ટરવ્યુ સમયે લાયકાત સબંધીત પ્રમાણપત્રો(નિવૃત્તિ હુકમ સહીત)ની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે. તેમજ ઉક્ત શરત નં.૩ મુજબના છેલ્લા ૧૦ વર્ષના ખાનગી અહેવાલોની નકલ સાથે રાખવાની રહેશે,
2)
ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી વિગતો સંપૂર્ણ ભરી સાથે રાખવાનું રહેશે.
RMC Retired Recruitment 2024 Conditions :
ક્રમ
શરતો:
1)
સા.વ.વિ. ના તા.૦૪/૧૧/૨૦૧૯ ના ઠરાવની જોગવાઈ અનુસાર જે અધિકારી તા.૦૧/૦૧/૨૦૧૬ પછી એટલે કે સાતમા પગારપંચના પગારધોરણમાં નિવૃત થયા છે તેવા અધિકારીને તેઓના નિવૃતિ સમયના સાતમા પગાર પંચના બેઝિક પગારના ૩૫% મુજબ માસિક એકત્રિત વેતન તેમજ પેન્શન ઉપર મળવાપાત્ર થશે.
2)
વય નિવૃતિ થયેલ અધિકારીને છેલ્લા બે વર્ષમાં ખાતાકીય તપાસના કારણોસર શિક્ષા થયેલ હશે તો તેવા અધિકારીને વયનિવૃતિ બાદ કરાર આધારિત નિમણુક આપવામાં આવશે નહી. તદુપરાંત જે અધિકારી સામે નિવૃતિ સમયે ખાતાકીય તપાસ ચાલુ પડતર/સુચિત હશે તેઓએ પણ વયનિવૃતિ બાદ કરાર આધારિત નિમણુક આપવામાં આવશે નહી.
3)
અધિકારીને નિવૃતિ બાદ કરાર આધારિત નિમણુક આપવાની વિચારણા કરવા માટે તે અધિકારીના ૧૦ વર્ષના ખાનગી અહેવાલો ધ્યાને લેવામાં આવશે અને તેમાં કોઈ વિરુધ્ધ નોંધ ન હોવી જોઈએ.
4)
કરાર આધારિત નિમણુક આપ્યા પછી સરકાર/મહાનગરપાલિકા ગમે તે સમયે કોઈ પણ કારણ આપ્યા વિના સંબંધિત અધિકારીની કરાર આધારિત સેવાનો અંત લાવી શકાશે.
5)
સબંધિત અધિકારી એક (૧) માસની નોટીસ આપીને અથવા એક માસનો નોટીસ પે ભરીને કરાર આધારિત નિમણુકનો અંત લાવી શકાશે.
6)
કરાર આધારિત નિયુક્તિ દરમ્યાન તેમને પ્રતિ માસ એક પરચુરણ રજા મળવાપાત્ર રહેશે. પરંતુ અન્ય કોઈ રજા મળવાપાત્ર થશે નહીં.
7)
રાજીનામું સ્વૈચ્છીક રાજીનામું સ્વૈચ્છીક નિવૃતી આપેલ/લીધેલ હોય તો તેવા અધિકારીઓ અરજી કરી શકશે પરંતુ તેઓએ સરકારશ્રીમાં વર્ગ-૧/૨ ના હોદ્દા પર ઓછામાં ઓછો ૧૫(પંદર) વર્ષનો અનુભવ હોવો જોઈશે.
Thanks 😊👏👍
Thanks 👍